Sunday, 08/09/2024
Dark Mode

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાતા ખળભળાટ:જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો 86 પર પહોંચ્યો:43 લોકો સારવાર હેઠળ

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાતા ખળભળાટ:જિલ્લામાં કોરોના પોઝીટીવનો આંકડો 86 પર પહોંચ્યો:43 લોકો સારવાર હેઠળ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

આજે જિલ્લામાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ, અત્યાર સુધી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ ૮૬ પોઝીટીવ કેસ નોંધાયા જે પૈકી હાલ ૪૨ દર્દીઓ સારવાર હેઠળ,જિલ્લામાં અત્યારસુધીમાં ૧૬૭૫ વ્યક્તિઓના કોરોના(COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા,હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૩૮૮૭ વ્યક્તિઓને રાખવામાં આવ્યા*

સંતરામપુર તા.24

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારી ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

આજે જિલ્લાના સંતરામપુર શહેરી વિસ્તારના ૬૫ વર્ષીય પુરુષ દર્દી, સંતરામપુર ટાવર રોડની ૫૦ વર્ષીય મહિલા તેમજ ચીચાણી વિસ્તાર નાં ૧૮ વર્ષીય પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અત્યાર સુધીમાં તારીખ ૨૪-૫-૨૦૨૦ ના સાંજના ૭ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના ૮૬ કેસ પોઝીટીવ આવેલ છે.તેમજ અત્યાર સુધીમાં કુલ ૪૩ કોરોના સંક્રમિત દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૧ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/કોરોનાના કુલ ૧૬૭૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૩૮૮૭ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૭ દર્દીઓ હાલ કે.એસ.પી. હોસ્પિટલ ખાતે તેમજ ૨ દર્દી ગોત્રી મેડીકલ કોલેજ ખાતે તેમજ એક દર્દી વડોદરા ખાતેની ટ્રીકલર હોસ્પિટલ તેમજ એક દર્દી બેંકર્સ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે. એક દર્દીને હોમ આઈસલેશનમાં રાખવામાં આવ્યા છે.કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ તમામ ૪૨ દર્દીઓ સામાન્ય હાલતમાં છે.

error: Content is protected !!