
બાબુ સોલંકી :- ફતેપુરા
નિરાધારોને સહાય..ફતેપુરા:કોરોના કાળમાં નિરાધાર થયેલા બાળકોને કીટ વિતરણ કરાઈ
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના હસ્તે નિરાધાર બાળકોને પુસ્તકો યુનિફોર્મ સહિતની કીટ અર્પણ કરાઈ
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૧
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ પ્રાથમિક શાળા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે નીરાધાર બાળકોને યુનિફોર્મ સહીત કીટ અર્પણ કરવામાં આવી હતી.કોરોના કાળમાં બાળકોના માતા પિતાનું મૃત્યુ થયું હતું.ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામમાં કોરોના કાળમાં માતા-પિતાનું મૃત્યુ થતા બે બાળકો નિરાધાર થયા હતા.આ બાળકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કલ્પના બેન ચૌધરીના હસ્તે યુનિફોર્મ પુસ્તકો સહિતની કીટ અર્પણ કરવામાં આવી હતી.આચાર્ય કલ્પનાબેન ભોઇ બીઆરસી રમેશભાઈ રટોડા સહિત ગામના સરપંચ રમેશભાઈ મકવાણા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.