બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના છાલોર આદિવાસી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ ખાતે જલ સંવાદ કાર્યક્રમ યોજાયો
વરસાદી પાણી બચાવવા અંતર્ગત જુદી જુદી પદ્ધતિ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરાયા.
સુખસર,તા.8
ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દાહોદ અને આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોર(ફતેપુરા) ખાતેજલ સંવાદ કીવ્ઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી.વિવિધ જગ્યાએ વરસાદી પાણી બચાવો અંતર્ગત જુદી જુદી પઘ્ઘતિથી પાણી બચાવો કીવ્ઝ કોમ્પિટિશન જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાણી બચાવો ઉપર
ભિતોડી પ્રાથમિક શાળાના આચાર્ય કટારા શંકરભાઈ તેમજ હડિયોલ મનહરભાઇ પારધી દ્વારા ખૂબ જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લામાં વિવિધ જગ્યાએ નિબંધસ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,કીવ્ઝ કોમ્પિટિશન વગેરે કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું.ઉપરાંત જાહેર જગ્યાએ વોલ પેન્ટિગ સ્વોગન,રાઈટીંગ,નુક્કડ નાટક.જેવાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.કાર્યક્રમનો મુખ્ય હેતુ
વરસાદી પાણી બચાવવાનો તથા ગ્રામજનો અને આજની યુવા પેઢીને પાણીનું મહત્વ સમજે તેવો હતો. જળ એજ જીવન હોય યુવક,મહિલા મંડળો સભ્યો, રાષ્ટ્રીય સેવા કર્મીઓએ કાર્યકમ સફળ બનાંવ્યો હતો.વિવિધ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેનાર અને વિજેતાઓને ઇનામ,પ્રમાણપત્રો, ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર દાહોદ કચેરીના જિલ્લા યુવા
અધિકારી શ્રી વિઠ્ઠલભાઈનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.તેમજ આદિવાસી ઉચ્ચતર મા.શાળા છાલોરના આચાર્ય ડી.એસ.ડામોરે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.