ફતેપુરા મામલતદાર શ્રી.પી.એન પરમારની અધ્યક્ષતામાં યોગા ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલ :-ફતેપુરા 

ફતેપુરા મામલતદાર શ્રી.પી.એન પરમારની અધ્યક્ષતામાં યોગા ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

યોગા ને તાલીમ મેળવેલ ૩૨ તાલીમાર્થીને 32 યોગા પરમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

 

ફતેપુરા તા.29

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર શ્રી પી.ઍન પરમારની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગટ્રેનર તાલીમ પરમાણ પત્ર વિતરણ કાર્યક્રમ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં તાલુકા યોગા કોચ દુલાભાઈ પારગી હાજર રહ્યા હતા અને ૩૨ યોગા ટ્રેનર અને મામલતદાર શ્રી પી એન પરમાર ના તેમજ તાલુકા કોચ શ્રી ધુળાભાઈ પારગી અને તાલુકા પત્રકાર સંઘ મહામંત્રી શબ્બીરભાઈ સુનેલ વાલા ના વરદ હસ્તે પરમાણ પત્ર વિતરણ કરવામાં આવેલ હતું યોગા ની તાલીમ લેનાર આ 32 યોગા ટ્રેનર પોત પોતાના ગામમાં અને મહોલ્લામાં તેમજ ઘરે ઘરે જઈને માણસો ને યોગા વિશે શરીરને થતા લાભોની માહિતી આપશે અને યોગા શીખવાડશે

Share This Article