
ઝાલોદ પંથકમાં વાહન ચોર ટોળકીનો આતંક: બે જુદી જુદી જગ્યાએથી મોટરસાયકલોની ઉઠાતરી
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી બે મોટરસાઈકલો કોઈ અજાણ્યા ચોર ઈસમો પોતાના કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલો ચોરી કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૪ જાન્યુઆરીના રોજ મુંડાહેડા ગામે રહેતાં મનોજભાઈ માનસીંગભાઈ ડિંડોડે પોતોની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલ ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મનોજભાઈ માનસીંગભાઈ ડિંડોડે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ ઝાલોદ નગરમાં આવેલ નર્મદા નગર સોસાયટીમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦ ડિસેમ્બરના રોજ ઝાલોદ નગરમાં રહેતાં રાજેશભાઈ શાંતિલાલ પટેલે પોતાની મોટરસાઈકલ નર્મદા નગર સોસાયટી તરફ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રાજેશભાઈ શાંતિલાલ પટેલે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–