સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વિદ્યાર્થીઓનો પુસ્તકો સળગાવી દેતા વાલીઓ શાળામાં હોબાળો…

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે વિદ્યાર્થીઓનો પુસ્તકો સળગાવી દેતા વાલીઓ શાળામાં હોબાળો…

શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ આપી 

સંતરામપુર તા. ૨૧

સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે થોડા સમય અગાઉ ભારે વરસાદ પડવાના કારણે વિદ્યાર્થીઓ ના મકાનો દૂર હોવાના કારણે પાઠ્યપુસ્તકો અને દફ્તર વરસાદના કારણ પલળી જાય તે માટે શાળામાં મૂકી દેવામાં આવેલા હતા બે દિવસની રજા પડતા વિદ્યાર્થીઓ આવીને દફતર અને પાઠ્યપુસ્તકો શાળાની અંદર તોડખોળ કરતા મળી ના આવેલા હતા વિદ્યાર્થી પારગી દેવેન્દ્રભાઈ અને કટારા પંકજભાઈ પુસ્તકો માટે શિક્ષક અને આચાર્યને વારંવાર માંગણી કરતા આજે આપીશું કાલે આપીશું તેમ કહીને સમય વીતતો ગયો પરંતુ પુસ્તકો આપવામાં આવેલ ન હતા અને દફતર પણ મળેલ ન હતું જેના કારણે વિદ્યાર્થીને વાલીઓને જાણ કરતાં શાળાની અંદરથી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓનો દફતર અને પાઠ્યપુસ્તકો 10 જેટલા ફરજ બજાતા રહેવા બેન શિક્ષિકાએ અમારા પુસ્તકોની સળગાવી નાખેલા છે તેઓ આરોપ મૂકવામાં આવેલો છો અને આ ઘટનાને લઈને સીમલીયા પ્રાથમિક શાળામાં આજે સવારથી જ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ભેગા થઈને શાળામાં ન્યાય માટે માંગણીકારી હતી અને તેનો જવાબ માંગેલ હતો. પરંતુ કોઈ જવાબ આપેલો ન હતો અને અમે તો આવું કર્યું જ નથી તેવી જાણ કરેલી હતી અને હોબાળો બચાવવામાં આવેલો હતો આ અંગેની ઘટનાની વાલીઓ ભેગા મળીને શિક્ષિકાના વિરોધ પોલીસ ફરિયાદ પણ આપી હતી વધુમાં જાણવા મળેલું કે છેલ્લા 10 થી 15 વર્ષથી આ પ્રાથમિક શાળામાં શિક્ષણમાં સારું શિક્ષણ ન મળવાના કારણે વિદ્યાર્થીઓનું ભાવી પણ બગડી રહ્યું છ શિક્ષિકા અને આચાર્યની અહીંયા થી બદલી કરવામાં આવે તે માટેની ચીમકી ઉપકારી હતી અને અગામી સમયમાં આનો નિર્ણય નહીં લેવામાં આવે તો તાળાબંધીનું પણ કરવાનું જણાવ્યું હતું.

Share This Article