Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવા માં આવી*

August 24, 2023
        456
દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવા માં આવી*

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજાઈ..

અખંડ ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બાઈક લઈને જોડાયા હતા.

અખંડ ભારત સંકપ યાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવા મા આવ્યું હતું

‌સુખસર ,તા.20

Deep Homeo & Skin Care Clinic

Dr. Hiral shah (B.H.M.S,FMC ) Certified counsellor

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3)શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

તો આજે જ અમારા ક્લિનિકની મુલાકાત લો જ્યાં આપને ચામડીના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓનો સચોટ અને સરળ ઉપચાર મળશે.

એટલું જ નહિ..શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ* સહિતની બીમારીઓનું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી.. તો રાહ શેની જુઓ છો. આજે જ સંપર્ક કરો…

Dr. Hiral shah (B.H.M.S, FMC )

Mo.9879248254

નવકાર વાઁચ કાંની ઉપર રામા હોટલ પાસે ઝાલોદ રોડ,દાહોદ

 ૧૪ મી ઓગસ્ટ ના રોજ ભારત અને પાકિસ્તાન ૭૭ વર્ષ પહેલા ભાગલા પડ્યા હતા. ત્યાર થી ૧૪ મી ઓગસ્ટ ના રોજ અખંડ ભારત તરીકે ઉજવવા મા આવે છે.તયારે જેના ભાગ રૂપે દાહોદ જિલ્લા મા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા અખન્ડ ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવા મા આવ્યું હતું.જેમાં આ યાત્રા ફતેપુરા નગર થી પ્રસ્થાન કરી દાહોદ નગર મા સમાપન કરવા મા આવ્યું હતું.

અતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ ના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ તોગડીયા દ્વારા અખન્ડ ભારત હિન્દૂ પરિસદ ની સ્થાપના કરવા મા આવી હતી.અને અખંડ ભારતના કાર્યક્રમો અનેક જગ્યા એ યોજવા મા આવી રહ્યા છે.ત્યારે દાહોદ જિલ્લા મા પણ અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા ફતેપુરા નગર ની આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરવામા આવ્યું હતુ.યાત્રામાં મોટી સંખ્યામા અંતરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા ઓ બાઈક સાથે જોડાયા હતા.

ફતેપુરા નગરની આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમા મોટી સંખ્યામા કાર્યકર્તા ઓ ભેગા થયા થઈ ચા, નાસ્તો કરી યાત્રા ને પ્રસ્થાન કર્યું હતું.જ્યારે બાદ સમગ્ર નગરમા બાઈક રેલી કાઢવામા આવી હતી.અને સમગ્ર નગર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ત્યાર બાદ સુખસર નગરમા યાત્રા પહોંચી હતી.અને જ્યાં પણ મોટી સંખ્યામા કાર્યકર્તા ઓ જોડાયા હતા.અને યાત્રા સમગ્ર નગરમા ફરી હતી.ત્યાર બાદ ઝાલોદ નગર તરફ યાત્રા એ પ્રયાણ કર્યું હતું.ઝાલોદ નગર યાત્રા ફર્યા બાદ લીમડી પંથકમાં યાત્રા પહોંચી હતી. જ્યાં સમગ્ર નગરમા યાત્રા ફર્યા બાદ ભોજન પ્રસાદીનું આયોજન કરવા મા આવ્યું હતું.અને ત્યાંથી યાત્રા દાહોદ નગરમા પહોંચી દાહોદ નગરમા યાત્રા ફરી દાહોદ નગરના સુભાષ ચોક ખાતે સંપન્ન કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!