સંતરામપુર નગરમાં માથાના દુખાવા સમાન સાબિત થતી ટ્રાફિકની સમસ્યા: ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ કરવા માટેની લોકમાંગ ઉઠવા પામી

Editor Dahod Live
1 Min Read

ઈલિયાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.23

સંતરામપુર નગરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની સંતરામપુર નગરમાં છેલ્લા બે મહિનાથી દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યાઓ વિકટ બનતી જાય છે.જાહેર માર્ગો ઉપર જ વાહનચાલકો બેફામ રસ્તાની વચ્ચે મૂકીને જતા રહે છે.અને પાર્કિંગ કરી દે છે.સ્થાનિક રાહદારીઓને પસાર થવું અઘરું બની રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી.ભૂતકાળમાં ટ્રાફિક જમાદાર વીરાભાઇ માછી

સંતરામપુર નગરમાંથી ટ્રાફિક સમસ્યાને મુક્ત કરી હતી. પરંતુ કેટલા ઘણા સમયથી સંતરામપુરના દરેક દરેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થતું હોય છે.સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે.પણ સંતરામપુર સ્થાનિક પોલીસ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં જરાય પણ રસ નથી.સંતરામપુર નગરમાં ગોધરા ભાગોળ વિસ્તારમાં આખો દિવસ ટ્રાફિક જામ થઈ જાય છે વાહનચાલકોને જવા માટે પસાર થવા માટે વારંવાર હોરન વગાડવા ઉપાય તેમ છતાંય સાઈટ ઉપર વાહન મૂકવા તૈયાર જ રહ્યું.ગોધરા વાગડ વિસ્તારના અવતાર હોસ્પિટલ પાસે ભગવતી હોટલ પાસે બજારમાં માંડવી ચાર રસ્તા લુણાવાડા રોડ દરેક જગ્યાએ વહાણો જન્મેલો કરી મૂકે છે. સંતરામપુર નગરમાં વ્યાપારીઓ અને સ્થાનિક રહીશોની માગણી છે.કે ફરીથી ટ્રાફિક જમાદાર વીરાભાઇ સંતરામપુરમાં ફરી મૂકવામાં આવે તેવી લોક માંગ ઉભી થઇ છે.

Share This Article