દાહોદમાં આજે કોરોનાના વધુ 10 દર્દીઓનો વધારો નોંધાયો:જિલ્લામાં કોરોનાનો આંક 1146 પર પહોંચ્યો

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.30
દાહોદમાં આજે વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૧૪૬ મે પાર પહોંચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ આજે ૨૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતતા એક્ટીવ કેસો ૧૬૬ રહેવા પામ્યા છે અત્યાર સુધી કોરોનાથી ૫૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આઝે રેપીટ ટેસ્ટ મળી કુલ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં (૧) સુનિતાબેન શંતોષભાઈ ચોૈહાણ (ઉવ.૩૬ રહે. ચાકલીયા રોડ દાહોદ), (ર) સાધુ સલોનીબેન વિષ્ણુકાંત (ઉવ.૧૭ રહે. લીમડી રાધાક્રૃષ્ણા બજાર), (૩) કુરેશી અબ્દુલ કે (ઉવ.૪૮ રહે. પીટીસી કોલેજ દે.બારીયા), (૪) ધેય તરૂણ કુમાર એ (ઉવ.પ૧ રહે. પીટીસી કોલેજ હોસ્ટેલ દે.બારીયા), (૫) નગદિસ જુલ્ફીકાર ફકરૂદ્દીન (ઉવ.પ૭ રહે. ગોધરા રોડ દાહોદ), (૬) નાફડે દીપકભાઈ ભાસ્કર (ઉવ.૬૬ રહે. અગ્રવાલ સોસાયટી દાહોદ), (૭) વાળંદ દિવ્યાંગભાઈ ઈશ્વરભાઈ (ઉવ.રપ રહે. લીમડી ગોધરા રોડ લીમડી), (૮) સતભાઈ નાયવરભાઈ મોકમસીંહ (ઉવ.૬પ રહે. વણભોરી ચંદવાણા ગામતળ), (૯) લબાના અરવીદાબેન રાકેશભાઈ (ઉવ.૩પ રહે. વણભોરી ચંદવાણા ગામતળ) અને ( ૧૦) અરૂણ કઠાલીયા (ઉવ.૩પ રહે. જાંબુઆ કતવારા ગામતળ) આમ, આજના ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના રહેણાંક વિસ્તારોમાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.

——————————–

Share This Article