ફતેપુરાના મારગાળામાં ૩૨ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

  હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના મારગાળા માં ૩૨ વર્ષિય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું,પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલીમાં પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાણમાં ઉલ્લેખ.

સુખસર, તા.20

Contents

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા એક માસમાં ૪ જેટલા અપમૃત્યુના કિસ્સાઓ બની ચૂક્યા છે.જેમાં એક વધુ બનાવ ગતરોજ રાત્રીના મારગાળા ગામના કોઈડુબાણ ફળિયામાં ૩૨ વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર મકાનમાં છતના હુક સાથે વાયર વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કોઈડુબાણ ફળિયા ખાતે રહેતા ગોરધનભાઈ વીરાભાઇ ભાભોર ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જેઓને બે સંતાનો પણ છે.અને પતિ-પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલતો આવેલ હતો.પરંતુ ગોરધનભાઈ ભાભોરે કોઈ અગમ્ય કારણોસર ગતરાત્રીના સમયે પોતાના ઘરમાં છતના હુક સાથે વાયર બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ હોવાનું જાણવા મળે છે.આ બાબતની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં વધુમાં જણાવ્યું છે કે,ગોરધનભાઈ તથા તેમના પત્ની અંજુબેનને ગતરોજ મોડી સાંજના કોઈક વાતે બોલાચાલી થયેલ તેમાં ગોરધનભાઈ ભાભોરે મનમાં લાગી આવતા આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.
બનાવ સંદર્ભે મૃતક મિનેષભાઈ વીરાભાઇ ભાભોરે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share This Article