સંતરામપુર:લોકડાઉન બાદ સરકારી કચેરીઓ પુનઃ ધમધમી ઉઠી

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.03

સંતરામપુર મામલતદાર કચેરી પુનઃ શરૂ કોરોનાવાયરસ ને લઈને દેશભરમાં મહામારી અને 70 દિવસ પછી લોક ડાઉનલોડ પૂર્ણ થતાં સંતરામપુર મામલતદાર કચેરી અન્ય કચેરીમાં ફરીથી ધીરે ધીરે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આજે મામલતદાર કચેરીમાં ગામડામાંથી આવતા અરજદારોએ આવકના જાતિ અંગેના રેશનીંગ કામગીરી અન્ય કામગીરી માટે સંતરામપુર મામલતદાર કચેરીમાં આવી પહોંચ્યા હતા.કચેરીમાં સરકારના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ તેમજ  માસ્ક અને સેનેટાઈઝર સહીત અરજદારે નિયમનું પાલન કરીને પોતાની કામગીરી માટે આજે મામલતદાર કચેરીને જોવા મળ્યા હતા.મોટી સંખ્યા અરજદારોએ નિયમોનું પાલન કરીને બાળકો માટેના એડમિશન અને અભ્યાસક્રમ માટે ફરીથી દાખલાની કામગીરી ધીરે ધીરે શરૂઆત થવા જોવા મળી રહી છે. લોક ડાઉન  ખુલતા જ સરકારી કચેરીમાં અરજદારોનો ધસારો જોવા મળ્યો હતો.

Share This Article