સંતરામપુર નગરપાલિકા દ્વારા સંખ્યાબંધ દુકાનો સીલ કરાઈ

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.22

સંતરામપુર નગરપાલિકા દ્વારા સંખ્યાબંધ દુકાને સીલ કરાઈ. સંતરામપુર નગરપાલિકા દ્વારા ગોધરા ભાગોળ વિસ્તારમાં સરકારી ખુલ્લી જગ્યામાં કેબીનો મૂકીને અલગ-અલગ નાના-મોટા રોજગાર ધંધો વેપાર કરતા હતા.કોરોનાવાયરસ ને લઈને સરકારની નિયમ અનુસાર સવારે આઠથી સાંજે 4: કલાક સુધી દુકાન ખોલવાનું જાહેર કરવામાં આવેલો છે.પરંતુ ગોધરા વિસ્તાર સરકારી જમીન વર્ષોથી કેબીનો મૂકીને ધંધો કરતા હતા પણ આજદિન સુધી તમામ કેબિનો અને નગરપાલિકામાંથી આજ દિન સુધી સી ફોર્મ મેળવેલુ હતું નહીં અને સી ફોર્મ વિના નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપસિંહ હઠીલા તમામ કેબિનોને શીલ કરી હતી અને સૂચના આપવામાં આવેલી કે લોકડાઉન સુધી કોઈપણ વ્યક્તિએ દુકાન ખોલવી નહીં શ્રી ગોધરા ભાગોળ વિસ્તારમાં સરકારી જગ્યા પર કેબીનો મૂકીને c-form વિના વેપાર કરતા હતા અને આ વેપારીઓને સરકારી જમીન પર કેબિન મૂકી ધંધો કરતા હતા તેમને સી ફોર્મ આપી શકાતું નથી લોક ડાઉન  દરમિયાન દુકાનના ખોલવાનો આદેશ કરવામાં આવેલ છે.

Share This Article