કોરોનાનો ખતરો…. સંતરામપુરમાં લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ:સ્થાનિક વહીવટીતંત્ર લોકડાઉન દરમિયાન શોશ્યલ ડિસ્ટન્સની અમલવારીમાં વામણું પુરવાર થયો

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.04

સંતરામપુર નગરમાં તેર દિવસ લોકડાઉન  પછી નગરજનો સંક્રમણની ભીડ જમાવી રાખી છે.સંતરામપુર નગરમાં ૧૩ દિવસથી સ્થાનિક નગરજનોને ગ્રામ્ય વિસ્તારના લોકો તેર દિવસ ઘરમાં રહેલા હતા પણ સવારે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે ત્રણ કલાક ની છુટ આપવામાં આવે છે પરંતુ બજારોમાં ખરીદી કરવા માટે સંક્રમણનું ભીડ જમાવી મૂકી દે છે. બજારોમાં શાકમાર્કેટ કરિયાણાની દુકાનો બેંકોમાં ગેસની બોટલ જીવન જ અલગ અલગ રીતે દરેક જગ્યાએ આ રીતે ટોળાંને ટોળાં ભેગા રહે છે સરકારી તંત્ર કહી કહી ને થાકી ગ્યો કે ટોળાઓ અને ભેગા થવું તેમ છતાંય સંતરામપુરના જનતા સમજવા તૈયાર નથી એકબીજાને અડીને ભેગા થઈને સંક્રમણ ભીડ જોવા મળે છે. જાગૃત નાગરિક હોવા છતાં કોઈપણ પ્રકારનું અમલ કરવા તૈયાર જ નથી આ રીતની ભીડ ઉભી કરીને કોરોનાવાયરસ નો આવકાર આપી રહેલા છે સરકારી તંત્રએ સતત પોલીસ સ્ટાફ હોવા છતાં સ્થાનિક નગરજનોને પોતાની મરજી ચલાવે છે દરેક જગ્યાએ ખરીદી સમયે ભેગા જોવા મળતા હોય છે.

Share This Article