*દાહોદના ૬૦ યુવાનોને આર્મી (અગ્નીવીર) અને સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટેની ૩૦ દિવસની નિવાસી (રેસીડેન્સીયલ) તાલીમ અપાશે*
આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદ દ્વારા દર વર્ષે જાહેરાત આપીને અગ્નીવીર ની ભરતી રેલી યોજવામા આવે છે. નવા ભરતી પ્રક્રિયા નિયમો મુજબ આર્મી (અગ્નીવીર ) તરીકે પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ લેખીત પરીક્ષા યોજવામા આવે છે. ત્યાર બાદ ફીઝકલ ગ્રાઉન્ડ ની પરીક્ષા લેવામા આવે છે. ત્યાર બાદ મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ફાયનલ સીલેકશન કરવામા આવે છે .
ઉકત ભરતીમા દાહોદ જીલ્લા શહેરના ઉમેદવારો સફળ પરિણામ લાવી શકે તે માટે ગુજરાત સરકારની જીલ્લા રોજગાર કચેરી, છાપરી, દાહોદ દ્વારા ૬૦ તાલીમાર્થીઓને ૨૪૦ કલાકની ૩૦ દિવસની વિના મુલ્યે શારીરીક અને બૌદ્ધિક કસોટી માટે નિવાસી તાલીમ વર્ગ યોજાનાર છે.
આ તાલીમમાં જોડાવા માટે ધો ૧૦ મા ૪૫% થી વધુ હોય તેમજ ૧૭.૫ થી ૨૦ વર્ષની ઉંમર ,૧૬૮ સેમીથી વધુ ઉંચાઈ અને ૫૦ કિ ગ્રા વજન અને ૭૭ સેમીથી વધુ છાતી ધરાવતા અપરણીત પુરુષ ઉમેદવારોએ, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને તાલીમ માટે તા. ૨૦.૫.૨૦૨૩ સુધી જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન , છાપરી , દાહોદને રૂબરૂ સંપર્ક કરી નિયત નમુનામા અરજી કરવા રોજગાર અધિકારી,દાહોદની યાદીમા જણાવેલ છે.
