ફતેપુરા નવા બસ સ્ટેશનમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરાતા એક વર્ષ બાદ અંધારપટ દૂર થયો

Editor Dahod Live
2 Min Read

યાસીન ભાભોર , ફતેપુરા 

 

 

ફતેપુરા નવા બસ સ્ટેશનમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરાતા એક વર્ષ બાદ અંધારપટ દૂર થયો

 

 

 

ફતેપુરા તા.05

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ નવીન બસ સ્ટેશનમાં બસ સ્ટેશન શરૂ કરતી વખતે બસ સ્ટેશનની બિલ્ડીંગ ઉપર અને બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લાઈટો લગાવવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી આ લાઈટો બંધ થઈ જવા પામી હતી જેના પગલે ફતેપુરા બસ સ્ટેશન અંધેર નગરીમાં ફેરવાયું હતું અને રાત્રિના સમયેથી અહીં પસાર થવું બહુ મુશ્કેલ બન્યું હતું તેમજ રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરો માટે પણ બહુ જોખમી અને અસલામત ભાસતું હતું.

 

જે બાબતોના અહેવાલ વિવિધ માધ્યમોમાં પ્રસિદ્ધ થયા હતા જેના પગલે ગુજરાત એસટીની ગોધરા વિભાગિય કચેરી દ્વારા ગતરોજ ફતેપુરા બસ સ્ટેશન ખાતે બસ સ્ટેશનની બિલ્ડીંગ ઉપર તેમજ બસ સ્ટેશનની આજુબાજુ અને બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લગાવવામાં આવેલી લાઈટોને રીપેરીંગ કરીને ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મોડી સાંજ સુધી ટેકનીશીયનોએ કામગીરી કરી હતીજેમાંથી બસ સ્ટેશનની બિલ્ડીંગ ઉપરની તેમજ બસ સ્ટેશનની અંદરની અને મોટાભાગની લાઈટો ચાલુ કરી દેવામાં આવી છે અને બાકી રહેલી લાઈટો ટૂંક સમયમાં ચાલુ કરી દેવાશે.આમ છેલ્લા એક વર્ષથી ફતેપુરા નગર ના નવા બસ સ્ટેશનમાં બંધ પડેલી લાઈટો ચાલુ કરાઈ અને ફતેપુરા બસ સ્ટેશન નો અંધારપટ દૂર કરાયો

Share This Article