
રાજેશ વસાવે દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર પૂર્વ તથા પ્રાથમિક શાળામાં એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ ) યોજાયો…
દાહોદ અનાજ મહાજનસાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સ્વનિર્ભર પૂર્વ તથા પ્રાથમિક શાળામાં એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ )નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો.
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ તથા પ્રાથમિક શાળા દાહોદ ગુજરાતી માધ્યમ દ્વારા એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ ) કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેનો વિષય હતો ” યુગાંતર ” આ કાર્યક્રમમાં કાર્યવાહક પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠ, માનદ મંત્રી શ્રીમતી અંજલીબેન પરીખ, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલીનભાઈ ભટ્ટ સાહેબ હાજર રહ્યા . નલીનભાઈ ભટ્ટ સાહેબે યુગાંતર વિષય પર ખુબ સરસ માહિતી આપી હતી. પૂર્વ તથા પ્રાથમિક વિભાગના બાળકોએ ખુબ સરસ સતયુગ, ત્રેતા યુગ, દ્વાપરયુગ અને કળિયુગ વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી.