ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુના મુખેથી શિવકથા નું આયોજન

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

ફતેપુરા નગરમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુના મુખેથી શિવકથા નું આયોજન

સ્વગીય શ્રી વિનોદભાઈ કાલિદાસ ડબગરના સ્વાણૅથે કથા નું આયોજન કરવામાં આવ્યું

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશન ના સામે આવેલ મેદાનમાં પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ ના શ્રી મુખેથી શિવ કથા નું આયોજન સ્વગીય શ્રી વિનોદભાઈ કાલિદાસ ડબગરના સ્વાણૅથે આયોજન કરવામાં આવેલ છે આ શિવ કથા તારીખ 29 10 2022 થી તારીખ 6 11 2022 સુધી કરવામાં આવશે પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ તેમના શ્રી મુખેથી પોતાની આગવી શૈલીમાં રસતરબોલ કરશે આવી આવીજ્ઞાન ગંગામાં સ્નાન કરી પાવન થવા તેમ જ શિવદર્શન માટે પધારવા ડબગર પરિવાર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે પરમ પૂજ્ય ગીરીબાપુ ની 773 મી શિવ કથા થી ભક્તો ને આગવી શૈલીમાં રસ તરબોળ કરશે

પરમ પૂજ્ય શ્રી ગીરીબાપુ ના શિવકથાનું કાર્યક્રમ આ પ્રમાણે છે,

 

પોથી યાત્રા તારીખ 29 10 2022 ને શનિવારના રોજ સવારના 11:00 કલાકે બાલાજી સોસાયટી થી કથા સ્થળ જશે

દીપ પ્રાગટ્ય તારીખ 29 10 2022 ને શનિવારના રોજ પરમ પૂજ્ય ગીરીબાપુ ના વરદ હસ્તે

કથા પ્રારંભ. તારીખ 29 10 2022 ને શનિવારના રોજ

કથા વિરામ તારીખ 6 11 2022 ને રવિવાર ના રોજ રાખેલ છે.

Share This Article