સંતરામપુર તાલુકાના બોર પેથાપુર ગામે સ્થાનિક ગ્રામજનોને મનરેગા હેઠળ રોજગારી ન મળતા તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.10

સંતરામપુર તાલુકાના બોર પેથાપુર ગામે સ્થાનિક ગ્રામજનોની મનરેગા હેઠળ રોજગારી ન મળતા તાલુકા વિકાસ અધિકારીને કરી રજૂઆત સંતરામપુર તાલુકાના બોર પેથાપુર ગામે હાલમાં આ ગામની અંદર તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરી હતી. મનરેગા હેઠળ સ્થાનિક ગ્રામજનોની ઘર આંગણે જ રોજગારી મળી આવા હેતુથી આ યોજનાનું બહાર પાડવામાં આવેલી અને પરંતુ આ યોજનામાં ગરીબ વર્ગના કુટુંબીજનોને તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરી દીધી પણ કેટલાક આગેવાની હેઠળ અને મનરેગાના અધિકારીઓ ટેકનીકલ આસિસ્ટન્ટ 26 85 ૨૬ 86 છબી 87 આ નંબરના માયસ્ટીરીઓ ઇસ્યુ કરી ને તળાવ ઊંડા કામગીરી માટે ગરીબ પરિવારના બદલે આગળ વાડીમાં કામ કરતા કર્મચારી દૂધ ના ચેરમેન અને હોદ્દા ધરાવતા કુટુંબીજનોની આ કામગીરી સોંપવામાં આવેલી છે આનો વિરોધ આગેવાની હેઠળ ટોડીયા કાળુભાઈ લાલાભાઇ અને તમામ ગ્રામજનો ભેગા મળીને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર અને રજૂઆત કરી હતી અમારા ગરીબ પરિવાર સાથે અન્ય થયેલો છે સ્થાનિક આદિવાસી પરિવારને અને ગરીબોને આ યોજનામાં થી રોજગારી મળતી જ નથી અને એક હથ્થુ શાસન હોવાથી સ્થાનિક પરિવારોને અને ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ થી વંચિત રાખવામાં આવેલ છે જ્યાં સુધી પૂરતો ન્યાય અને સરકારી યોજનાનો લાભ નહિ મળે તો ઉચ્ચકક્ષા સુધી રજૂઆત અને આંદોલનની ચીમકી આપી હતી.

Share This Article