દાહોદ તાલુકાના નવાગામ ખાતે 2.26 લાખના ખર્ચે નલ સે જલ યોજનાનો ખાત મુહર્ત કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકાના નવાગામ ખાતે 2.26 લાખના ખર્ચે નલ સે જલ યોજનાનો ખાત મુહર્ત કરવામાં આવ્યું

 યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય,  નગરપાલિકા પ્રમુખ સહિત ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા 

દાહોદ તા.04

 દાહોદ તાલુકાના નવાગામ ખાતે પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે જિલ્લા પંચાયત સદસ્ય તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની ઉપસ્થિતિમાં 2 કરોડ 26 લાખના ખર્ચે નળ સે જળ યોજનાનો ખાતમુહુર્ત યોજવામાં આવ્યો હતો  

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા નલ સે જલ યોજના અંતર્ગત મારા મત વિસ્તારમા ઘરે ઘરે નળ દ્વારા પીવાનું પાણી મળી રહેતે હેતુથી યોજના હેઠળ નવાગામ મુકામે અંદાજિત કુલ રકમ ૨ કરોડ ૨૬ લાખની યોજનાનું ખાતમુહૂર્ત જીલ્લા પંચાયત સદસ્ય નિરજ કુમાર મેડા દાહોદ નગરપાલીકા પૂર્વ પ્રમુખ અભિષેકભાઈ મેડા . હીતુભાઈ નાયક તાલુકા પંચાયત સદસ્ય સામંત ભાઈ હિહોર સરપંચ મોહનભાઇ સંગાડા તથા ગામના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું.

Share This Article