દાહોદમાં બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષના હસ્તે સનરાઈઝ સ્કુલનું લોકાર્પણ યોજાયો..

Editor Dahod Live
2 Min Read

દાહોદમાં સનરાઈઝ સ્કુલનું લોકાર્પણ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ ના હસ્તે સંપન્ન

શિક્ષણની ભૂખ સંતોષવા આવી શાળાઓ કારણભૂત બનશે
નરેન્દ્ર સોની ના આગ્રહ ને વશ થઈને મારે આવવું પડ્યું : સી આર પાટીલ

દાહોદ તા. 07

 

દાહોદમાં સનરાઈઝ પબલિક સ્કૂલ ના લોકાર્પણ પ્રસંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ દાહોદ આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ પ્રધાનમંત્રીના ભરપેટ વખાણ કર્યા તેમજ આદિવાસી વિસ્તારોમાં વિકાસની કેડી કંડારવા કટીબધ્ધતા દર્શાવી.તેની સાથે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય પતાકા લહેરાવવા આહવાન કર્યું હતું .
સનરાઈઝ પબલિક સ્કૂલ દાહોદ ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન તારીખ 8 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને નવસારીના સાંસદ હસ્તે કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે તેઓએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ સંતોષવા આવી શાળાઓ સક્ષમ પુરવાર થશે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરીને તેઓએ દેશમાં કેટલી એકલવ્ય શાળાઓ કાર્યરત હોવાનો ઉલ્લેખ કર્યો હતો .દાહોદ પંચમહાલ અને મહિસાગર ના આદિવાસી ધારાસભ્યોને વગર માંગે પ્રતિનિધિ આપ્યાનું જણાવી તેમણે કહ્યું હતું કે પ્રજા અને મતદારો ભાજપના જ છે હવે બીજાને કોઈ ને સ્વીકારવા તૈયાર નથી .અને કોંગ્રેસ ના ડબ્બા ગુલ થઈ જાય છે.ગાંધીનગરના પ્રચંડ વિજયને પણ તેઓએ યાદ કરી ભાજપના કાર્યકર્તા ની તાકાત ને બિરદાવી હતી અને પ્રજા પ્રજા નરેન્દ્ર મોદીને જોઇને જ મત આપે છે .ત્યારે આવનારી ચૂંટણીમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવવા તેમને હુંકાર કર્યો હતો. સનરાઈઝ સ્કુલ નું લોકાર્પણ તેઓની વ્યસ્તતાને કારણે પાછો ઠેલાયો હોવાનું તેમણે સ્વીકારી કહ્યું હતું કે શાળાના ટ્રસ્ટી અને જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની ના આગ્રહ ને હું ટાળી શક્યો નથી અને મારે તેના માટે સમય કાઢવો પડ્યો છે. નવી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ના પ્રજાલક્ષી નિર્ણયો ની પણ તેમણે જાણકારી આપી ભવિષ્યમાં પણ આવા પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું .આ પ્રસંગે મંત્રીઓ કુબેરભાઈ ડીડોર નિમિષાબેન સુથાર દંડક રમેશભાઈ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય બચુભાઈ ખાબડ શૈલેષભાઈ ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આંબલીયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા

Share This Article