Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં વધુ એક દર્દી કોરોનામુક્ત થયો:9 વર્ષીય મુસ્કાનના મામા કોરોનામુક્ત થતાં ઇન્દોર ખાતે રવાના કરાયાં:કુલ 7 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

દાહોદમાં વધુ એક દર્દી કોરોનામુક્ત થયો:9 વર્ષીય મુસ્કાનના મામા કોરોનામુક્ત થતાં ઇન્દોર ખાતે રવાના કરાયાં:કુલ 7 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદમાં વધુ એક દર્દી કોરોનામુક્ત થયો:9 વર્ષીય મુસ્કાનના મામા કોરોનામુક્ત થતાં ઇન્દોર ખાતે રવાના કરાયાં,કુરેશી પરિવાર જો મધ્યપ્રદેશના નીમચથી કુરેશી પરિવારના સદસ્યો દાહોદમાં પ્રવેશ્યા ન હોત તો દાહોદ કોરોનામુક્ત જાહેર કરાતો,હવે ફક્ત 7 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ  

દાહોદ તા.૦૫
ગયા મહિને ઈન્દૌરથી આવેલ એક પરિવાર દાહોદ દફનવિધિમાં આવ્યા હતા. આ દફનવિધિમાં એક ૯ વર્ષીય બાળકી મુસ્કાનને કોરોના ચેપ લાગ્યો હતો. અને આ બાદ તેના મામાને પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ બંન્નેને સમેત પરિવારના તમામ સદસ્યોને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. કોરેન્ટાઈનના સમયગાળા દરમ્યાન પ્રથમ મુસ્કાને કોરોના સામે જીત મેળવ્યા બાદ તેના મામાએ પણ કોરોના સામેની જંગ જીતી જતાં આજરોજ તેઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કોરેન્ટાઈનમાંથી રજા આપતા ઈન્દૌર ખાતે જવા રવાના થયા હતા. જો મધ્યપ્રદેશના નીમચ ખાતેથી કુરેશી પરિવાર કોરોના સંક્રમણને લઈ દાહોદ પ્રવેશતું નહીં તો આજે દાહોદ જિલ્લો કોરોના મુક્ત થવાની કગારે હોત અને ગ્રીન ઝોનમાં પણ સામેલ થઈ જતુ પરંતુ દાહોદ જિલ્લા વહીવટી તંત્રની તમામ કામગીરીઓમાં પણ જાણે ગ્રહણ લાગ્યુ હોય તેમ હાલ પ્રતિત થઈ રહ્યું છે.
ગત માસમાં ઈન્દૌરથી ૯ વર્ષીય મુસ્કાન તેના નાનાની દફનવિધિ માટે પોતાના પરિવારજનો સાથે દાહોદ આવી હતી. આ બાદ પ્રથમ મુસ્કાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને બાદમાં કેટલાક દિવસો બાદ તેના મામા મહોમંદ રહીમ કુંજડાને કોરોના પોઝીટીવ આવતા બંન્ને મામા – ભાણેજને કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. મુસ્કાનને વડોદરા ખાતે કોરેન્ટાઈન કરવામાં આવી હતી.જ્યારે તેના મામા મહોમંદને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે  કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. પ્રથમ વડોદરા ખાતે ૯ વર્ષીય મુસ્કાને કોરોનાને મ્હાત આપી સાજી થઈ હતી.ત્યારે આજ રોજ તેના મામા મહોમંદે પણ કોરાના સામે જંગ જીતતા આજરોજ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહોમંદને હોસ્પીટલમાંથી  રજા આપી તેને તેના વતન ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી.આમ, હવે દાહોદમાં કોરોનાના આંકડો ૭ પર રહેવા પામ્યો છે.જો મધ્યપ્રદેશના નીમચથી કુરેશી પરિવારના સદસ્યો દાહોદમાં પ્રવેશ્યા ન હોત તો આજે દાહોદ ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ થતું. પરંતુ હાલ એક જ પરિવારના ૭ સદસ્યો કોરોના પોઝીટીવ આવતા અત્યારે દાહોદ આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રનું કામ આવનાર દિવસોમાં વધુ મુશ્કેલ બની રહેશે તેમ પ્રતિત થઈ રહ્યું છે.

error: Content is protected !!