દિવાળીનો તહેવાર પૂરો થતા સંતરામપુર પંથકમાંથી આદિવાસી પરિવારોની હિજરત શરૂ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.01


સંતરામપુર પંથકમાંથી આદિવાસી પરિવાર ની હિજરત શરૂ થઈ ગઈ છે.સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજના સંખ્યાબંધ પરિવારો પોતાની રોજીરોટી માટે પોતાનું વતન છોડીને હિજરત કરવાનો વારો આવ્યો છે સંતરામપુર તાલુકાના ધંધા રોજગાર ના હોવાના કારણે અને રોજગારીના મળવાના કારણે કોઈપણ પ્રકારની આવકનું સાધન ન હોવાથી આજે સંખ્યાબંધ આદિવાસી પરિવાર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ગુજરાતના અલગ-અલગ ખુણા માં મજૂરી કરવા મજબુર બન્યા છે કચ્છ હિંમતનગર પ્રાંતિજ અલગ-અલગ શહેરોમાં રોજીરોટી મેળવવા માટે આજે પોતાનું વતન છોડવું પડ્યું સંતરામપુર તાલુકા અંતર વિસ્તાર પછાત વિસ્તાર ગણાતું અને વર્ષોથી આ સંતરામપુર તાલુકામાં રોજગારી માટેનું કોઈપણ પ્રકારનું સાધના જોવાયું અને જીઆઇડીસી જેવો અન્ય કોઈ વિકલ્પ ન હોવાના કારણે આજે આદિવાસી પરિવાર દિવાળી તહેવાર ઉજવી ને આજે સંતરામપુર ડેપો પર સંખ્યામાં આદિવાસી પરિવાર મા બહાર ગામ માં મજુરી માટે સંતરામપુર એસટી ડેપો પર ભારે ધસારો જોવા મળ્યો હતો. 

Share This Article