સિંગવડ તાલુકાના પૌરાણિક ભમરેચી માતાના મંદિર પર તસ્કરો ત્રાટક્યા:દાન પેટીના તાળા તોડી 30 હજારની રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર :પોલિસ તપાસમાં જોતરાઈ 

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.09

સિંગવડ તાલુકાના પૌરાણિક ભમરેચી માતાના મંદિર પર તસ્કરો ત્રાટક્યા:દાન પેટીમાંથી 30 હજારની રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર :પોલિસ તપાસમાં જોતરાઈ

સીંગવડ તા.09

સિંગવડ તાલુકાના ભમરેચી માતાના મંદિરે ગઈ રાત્રે કોઈ અજાણ્યા ચોરો દ્વારા ભમરેચી માતાના મંદિરની જાળીના તાળા તોડીને તેમાં મૂકેલી નાની દાનપેટી લઈ ગયા હતા.તથા મોટી દાન પેટીને તોડીને તેમાંથી અંદાજે રૂપિયા ૩૦,૦૦૦ જેટલી રકમની ચોરી કરી હતી.ભમરેચી માતા ના મંદિરે રાત્રી દરમિયાન જી.આર.ડી વાળાનો પોઇન્ટ હોવા છતાં અને ઉપર રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજારી રહેતા હોવા છતાં ચોરો દ્વારા મંદિરની

તાળા તોડીને તેમાંથી દાનપેટી લઇ નાસી ગયા હતા.તથા મોટી પેટીમાંથી રૂપિયાની ચોરી કરવામાં સફળ થયા હતા.જો જી.આર.ડી.નો પોઇન્ટ હોવા છતાં ત્યાં ચોરી થઇ હોય તો પછી શું માનવામાં આવે અને સિંગવડ તાલુકામાં બે થી ત્રણ મહિના થવાની સાથે ચોરોનું માથું ઊચકવા આવે છે.અને કોઈપણ જગ્યાએ ચોરી કરવામાં આવે છે સિંગવડ તાલુકામાં ઘણી ચોરીઓ થવા પામી પરંતુ રણધીકપુર પોલીસ દ્વારા એક પણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.ખરેખર આ ભમરેચી માતાના મંદિરે ચોરી થઇ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. શું મંદિરના ચોરો પકડવામાં આવશે ખરી મંદિરનો ચોરીનો ભેદ ઉકેલાશે તેવી  લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Share This Article