ફતેપુરા તાલુકાના હડમતમાં બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં ચારના મોત:એકની સ્થિતિ ગંભીર,મૃતકોમાં ત્રણ સંતરામપુરના પૈકી બે સગા ભાઈઓ,જ્યારે એક લખણપુરના યુવાનનું મોત નિપજ્યું છે.
સુખસર,તા.૩
ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતની સંખ્યા વધતી જાય છે.જેમાં વધુ એક બનાવ શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલો વચ્ચે હડમતમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા સંતરામપુરના ત્રણ તથા લખણપુરના એક યુવાનનું મોત નિપજવા પામેલ છે.જ્યારે લખણપુર નો એક યુવાન હાલમાં લુણાવાડા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકામાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતની સંખ્યા વધતી જાય છે.જેમાં વધુ એક બનાવ શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલો વચ્ચે હડમતમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા સંતરામપુરના ત્રણ તથા લખણપુરના એક યુવાનનું મોત નિપજવા પામેલ છે.જ્યારે લખણપુર નો એક યુવાન હાલમાં લુણાવાડા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હડમત હાઈવે માર્ગ ઉપર શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર-જીજે.૧૭.એપી-૯૮૧૧ ઉપર ઝાલોદ તરફથી સંતરામપુરના વતની સાજીદ અમીન પઠાણ,તોકીર અમન અરબ તથા એક અન્ય તેમના પરિવારનો યુવાન ઝાલોદ લગ્ન પ્રસંગમાંથી પરત સંતરામપુર જવા માટે નીકળ્યા હતા.તેવા સમયે લખણપુરના વતની દીપકભાઈ અરવિંદભાઈ ચારેલ તથા કમલેશભાઈ ચીમનભાઈ ચારેલ બંને રહેવાસી લખણપુરનાઓ પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે-૨૦.ક્યુ-૭૪૩૨ ઉપર સુખસર તરફથી ઘરે જઈ રહ્યા હતા.તેવા સમયે હડમત ગામે શીરા ફળિયા જતા માર્ગ પાસે આ બંને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.તેમાં સંતરામપુરના સાજીદ અમીન પઠાણ,તોકીર અમન અરબ તથા લખણપુરના દિપક અરવિંદભાઈ ચારેલ નાઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું.જ્યારે સંતરામપુરના એક મુસ્લિમ સમાજના વ્યક્તિ જેનું નામ મળી શક્યું નથી તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લુણાવાડા ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે હાથે-પગે તથા માથામાં ગંભીર ઈજા ગ્રસ્ત કમલેશભાઈ ચીમનભાઈ ચારેલને હાલ લુણાવાડા ખાતે ખાનગી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત અકસ્માતની ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક સુખસર તથા ઝાલોદની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સંતરામપુરના મોટરસાયકલ સવાર ત્રણ પૈકી બે સગા ભાઈઓ હોવાનું જાણવા મળે છે જ્યારે લખણપુરના અકસ્માતનો ભોગ બનેલા યુવાનો કુટુંબી ભાઇઓ હોવાનું જાણવા મળે છે ઉપરોક્ત અકસ્માતની જાણ સુખસર પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની અને મૃતકો બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ સંતરામપુરા મુસ્લિમ સમાજમાં અને લખણપુર ચારેલ પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.