રાજ્ય સરકારના પુરવઠા વિભાગના અનાજનું મધ્ય પ્રદેશમાં વેચાણ થતું હતું
દાહોદ તાલુકાના આગાવાડા ગામનો લલિત ભાભોર નામક સંચાલક ગરીબ બાળકોનો અનાજ ઘઉં અને ચોખા લોડિંગ ટેમ્પામાં ભરી વેચાણઅર્થે મધ્યપ્રદેશ તરફ જતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાહુલ્ય ધરાવતા અને છેવાડાના વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વિવિધ યોજના હેઠળ ખાદ્ય સામગ્રીથી લઇ વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે.ત્યારે કેટલાક લોભિયા અને ભ્રષ્ટ તત્વો પોતાના નિજી સ્વાર્થ હેતુ સરકારી અનાજને બારોબાર સગેવગે કરી અનાજ ની કાળાબજારી કરી રહ્યા છે.ત્યારે પ્રાથમિક શાળામાં સરકારી અનાજ બારોબાર વેચવાનો કૌભાંડ કેટલા દિવસથી ચાલી રહ્યો છે? અને આ કાળાબજારીમાં કેટલા લોકો સંડોવાયેલા છે.તેની પણ તપાસ અનિવાર્ય બની જાય છે.તેમજ આ સિવાય પણ કેટલીક જગ્યાએ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં પુરવઠા વિભાગ દ્વારા આ મામલે તટષ્ટ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો હજી કેટલાય અનાજના કાળાબજારી કરતા તત્વોનો પર્દાફાશ થાય તેમ છે.