સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં રોડ વચ્ચેથી નડતરરૂપ વીજથાંબલા હટાવવા માટે માપણી અને સર્વેની કામગીરી હાથ ધરાઈ.
સંતરામપુર તા.07
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના સ્ટાફ દ્વારા પ્રતાપપુરા વિસ્તારમાં રસ્તા ના માધ્યમથી 10 મીટર છોડીને ફરીથી નવા વીજ પોલ નાખવાની કામગીરી હાથ ધરાશે. આ સંદર્ભમાં વીજ કર્મચારીઓએ પરતાપૂરા વિસ્તારના દરેક વીજ પોલ ખસેડવા માટે સર્વે અને નોંધણી અને માપણી કરવામાં આવી હતી.રોડની બાજુમાં નડતરરૂપ વીજ ખસેડવામાં આવશે પ્રતાપપુરા થી માંડીને ઝાલોદ રોડ સુધી નડતરરૂપ તમામ વીજ પોલ હટાવવામાં આવશે.તેમજ ટૂંક સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા રસ્તાની કામગીરી હાથ ધરવા હોવાથી તાબડતોબ આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે.