સીંગવડ તાલુકાના કટરની પાલ્લી ગામે આયુર્વેદિક ઉકાળા તથા આરોગ્ય સેતુ એકનું ડાઉનલોડ કરવામાં આવ્યું
સિંગવડ તાલુકાની આંગણવાડી કેન્દ્ર ઉપર આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા નું આયોજન કરીને ગામના તમામ લોકો પીવડાવ્યું હતું.તથા સરકારશ્રી ના લોક ડાઉન પરિસ્થિતિને લઈને તથા સોશિયલ ડિસ્ટનસ રાખીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કટારાની પલ્લી ગામના આગેવાન મથુરભાઈ તથા તલાટી કમ મંત્રી એ.જે.ખાટ દ્વારા ગામના દરેક નાગરીકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને તથા તેમને જાણકારી આપવામાં આવી દરેક લોકો આ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ને આજુબાજુ કોઈ પણ પોઝિટિવ કેસ આવે તો તાત્કાલિક ખબર પડે તેના કારણે આપણે પણ સુરક્ષિત રહી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી જે રીતના કટારાની પાલી ગ્રામ પંચાયત દ્વારા આવી જાણકારી આપવામાં આવી હતી તેવી જ બધી ગ્રામ પંચાયતો દ્વારા લોકોને જાણ કરવામાં આવે તો આ કોરોના સામે લોકો જાણકાર થાય તેમ છે