Thursday, 25/04/2024
Dark Mode

ઝાલોદમાં તસ્કરોનો આતંક:એક બંધ મકાનને નિશાન બનાવી પોણા બે લાખની માલમત્તા ચોરાઈ

October 6, 2022
        2838
ઝાલોદમાં તસ્કરોનો આતંક:એક બંધ મકાનને નિશાન બનાવી પોણા બે લાખની માલમત્તા ચોરાઈ

રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.ઝાલોદ

 

ઝાલોદમાં તસ્કરોનો આતંક:એક બંધ મકાનને નિશાન બનાવી પોણા બે લાખની માલમત્તા ચોરાઈ

 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળી 1,80,000 /- ઉપરાંતની માલમત્તા પર હાથફેરો..

ત્યારે પોલીસ તંત્ર ની પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા 

 

 

ઝાલોદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળી 1,80,000 /- ઉપરાંતની માલમત્તા પર હાથફેરો..

ત્યારે પોલીસ તંત્રની પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયા હતા 

 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં આવેલ ગોકુળ ધામ સોસાયટી ના એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ 1,80,000 ની ચોરી કરી લઈ નાસી જતાં શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો 

 

 

ગત તા.19 મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ શહેરમાં આવેલ ગોકુળ ધામ સોસાયટી ના એક બંધ મકાનમાં તસ્કરોએ મકાનના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યાં હતો અને મકાનમાં તિજોરી માં રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી મુદામાલ કુલ 1,80,000 /- ની ચોરી કરી અંધારાના લાભ લઈ નાસી જતાં આ સંબંધે સોમાભાઈ કસુ ભાઈ જાતે અડ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 

 

ઝાલોદ શહેરમાં આવેલ સોસાયટીઓમાં બે થી ત્રણ દિવસ અગાઉ પણ આ સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસો કર્યા હતા જેના સીસીટીવી ફૂટેજ તસ્કરો ના ફૂટેજ શહેરનાં ગ્રુપો તેમજ સોશિયલ મીડિયા માં વાઇરલ થઇ રહેયા છે તેવું ચર્ચાઈ રહ્યું છે

 

 

 ત્યારે ઝાલોદ પોલીસ તંત્ર ની બેદરકારી અને અંધેર વહિવટ ની ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે નવાઈની વાત એ છે કે છેલ્લાં એક મહિનાથી આ વિસ્તારની નજીક નજીક આવેલ સોસાયટીઓમાં ચોરીના બનાવો તેમજ તસ્કરો દ્વારા ચોરીઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

 

 ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારના રહિશો ને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગયું તેવું જાણવા મળી રહ્યું છે આ વિસ્તારની સોસાયટીઓમાં ચોરી ના બનાવો સામે આવતા પોલીસ તંત્ર ની પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયા ત્યારે આ સોસાયટીમાં અવારનવાર તસ્કરો દ્વારા ચોરીઓ કરવાનો પ્રયાસ તેમજ ચોરી થતાં આ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાય રહ્યો છે

 

 ત્યારે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા પુરી પાડે તેવી આ વિસ્તારના રહિશો ની માંગ ઉઠવા પામી છે ત્યારે આ સોસાયટીના રહિશો દ્વારા પોલીસ તંત્ર ને જાણ કરી હતી પણ પોલીસ તંત્ર દ્વારા ગત દિવસે એક ચોરી નો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે અને બીજી બે જગ્યાએ તસ્કરો એ ચોરી કરવાનો પ્રયાસ કરયો હતો ત્યારે મકાન માલિકો દ્વારા પોલીસ તંત્ર ને લેખીત અરજી થીં જાણે કરવામાં આવે છે પણ ગુનો નોંધાયો નથી તેવું મકાન માલિકો દ્વારા જણાવાયું હતું

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!