Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા તાલુકામાં બે જુદી-જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે ના મોત: બે ઇજાગ્રસ્ત 

August 20, 2022
        1911
લીમખેડા તાલુકામાં બે જુદી-જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે ના મોત: બે ઇજાગ્રસ્ત 

લીમખેડા તાલુકામાં બે જુદી-જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે ના મોત: બે ઇજાગ્રસ્ત 

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બે જુદા જુદા સ્થળોએ વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના અગારા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૭મી ઓગષ્ટના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ રોંગ સાઈડે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોર (બુતપુર) ઘાંટી ફળિયામાં રહેતાં સુક્રમભાઈ સુર્યાભાઈ સંગાડા અને મોટરસાઈકલની પાછળ બેઠેલ દિનેશભાઈ છગનભાઈ ડામોરને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં બંન્ને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં બંન્ને ઈજાગ્રસ્તનો નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન સુક્રમભાઈનું મોત નીપજ્યુ હતું. આ સંબંધે ધાનપુર તાલુકાના બોર (બુતપુર) ગામે ઘાંટી ફળિયામાં રહેતાં હિતેશભાઈ સમસુભાઈ સંગાડાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૧૮મી ઓગષ્ટના રોજ એક ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલીયાટા ગામે મંદિર ફળિયામાં રહેતાં કનુભાઈ મનાભાઈ ડીડોર અને મોટરસાઈકલની પાછળ બેઠેલ દિલીપભાઈ ચંપાભાઈ ચરપોટને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે કનુભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાઈકલની પાછળ બેઠેલે દિલીપભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે સલીયાટા ગામે મંદિર ફળિયામાં રહેતાં સંભુ ઉર્ફે વિનુભાઈ ડીડોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!