Sunday, 06/07/2025
Dark Mode

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

August 9, 2022
        1026
વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

રાહુલ ગારી, ગરબાડા

 

આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ – રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

દાહોદ, તા. ૯ :

 

આજે દાહોદનાં ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે ગરબાડા ખાતેથી રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. અહીંથી મહાનુભાવોએ વિવિધ યોજનાકીય લાભોનું નાગરિકોને વિતરણ કર્યું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોએ મંચ ઉપરથી બહુમાન કર્યું હતું. 

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

 રાજ્યમંત્રી શ્રી રૈયાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આદિવાસી સમાજના વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી નોંધપાત્ર કામગીરી કરી રહી છે. 

 આદિવાસી વિસ્તારોમાં સરકારની અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ કરાતા આ વિસ્તારોનો સારો વિકાસ થયો છે અને તેઓ મુખ્યપ્રવાહમાં જોડાયા છે. સરકારની આવાસ યોજના, આરોગ્ય સુવિધાલક્ષી યોજનાઓ, રોડ-રસ્તાઓથી લઇને પાયાની જરૂરીયાત માટે સરકારે પ્રતિબદ્ધતા સાથે જવાબદારી નિભાવી છે. 

 તેમણે કોરોનાના કપરા સમયે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોરોનામાં દેશના ૮૦ કરોડ લોકોને બે વર્ષ સુધી નિ: શુલ્ક અનાજ આપીને દ્રરિદ્રનારાયણની જઠરાગ્નિને ઠારવાનું પુણ્યકાર્ય સરકારે કર્યું છે. કોરોના રસીકરણની કામગીરી પણ વિશ્વભરમાં ઉદારણીય બની રહે તે રીતે કરવામાં આવી છે. કોરોનાના આ મુસીબતના સમયમાં સરકાર હંમેશા ગરીબોની પડખે ઉભી રહી હતી. પ્રધાનમંત્રીશ્રી આગામી ૨૫ વર્ષના દેશના વિઝન લઇને આગળ વધી રહ્યાં છે ત્યારે આપણે સૌ આ વિઝનને સફળ બનાવવામાં સહભાગી થઇએ તેમ તેમણે ઉમેર્યું હતું. 

 આ પ્રસંગે ધારાસભ્ય સુશ્રી ચંદ્વિકાબેન બારીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી

 આ પ્રસંગે મહાનુભાવોએ બિરસામુંડા ભગવાન અને આદિવાસી દેવીદેવતાઓના પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં અહીંની આદિવાસી ટીમ દ્વારા આદિવાસી સાંસ્કુતિક નૃત્ય રજૂ કરાયું હતું. આદિજાતિ વિકાસની યોજના ઉપર દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવાય હતી. 

મુખ્યમંત્રીશ્રીના ઝાલોદ ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી. 

આ વેળાએ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી રમીલાબેન બારીયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી જિથરાભાઇ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી મનીષાબેન ગણાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી જીવલીબેન, અગ્રણી શ્રી પર્વતભાઇ ડામોર, મામલતદારશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!