Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પીપલારામાં પરણિતાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું..

September 10, 2022
        502
ફતેપુરા તાલુકાના પીપલારામાં પરણિતાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું..

શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

ફતેપુરા તાલુકાના પીપલારામાં પરણિતાએ ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું..

 

દાહોદ તા.૧૦

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે એક ૪૭ વર્ષીય પરણિતાએ કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે.

 

ગત તા.૦૮ સપ્ટેમ્બરના રોજ પીપલારા ગામે નિશાળ ફળિયામાં રહેતાં ૪૭ વર્ષીય વાલીબેન બળવંતભાઈ પારગીએ કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરની ઓશરીમાં હીચકાના હુક (કડા) સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક મહિલાને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપ્યાં હતાં.

 

આ સંબંધે ફતેપુરા તાલુકાના છાલોર ગામે નિશાળ ફળિયામાં રહેતાં નાથુભાઈ મકનભાઈ વગેલાએ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતાં કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!