Monday, 30/06/2025
Dark Mode

દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીન સંબંધી મામલે પાંચ વ્યક્તિઓએ ત્રણ વ્યક્તિઓને ગડદાપાટુનો માર માર્યો..

July 6, 2022
        418
દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીન સંબંધી મામલે પાંચ વ્યક્તિઓએ ત્રણ વ્યક્તિઓને ગડદાપાટુનો માર માર્યો..

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીન સંબંધી મામલે પાંચ વ્યક્તિઓએ ત્રણ વ્યક્તિઓને ગડદાપાટુનો માર માર્યો..

 

 

દાહોદ તા.૦૬

 

દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીની સંબધી મામલે મહિલા સહિત પાંચ જેટલા ઈસમોએ ત્રણ વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

 

ગત તા.૦૩ જુલાઈના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે રહેતાં સુરમલભાઈ કાળુભાઈ કલારા, દવાલભાઈ નાનજીભાઈ, કાળુભાઈ ફતાભાઈ કલારા, ઉર્મિલાબેન સુરતાનભાઈ અને શૈલેષભાઈનાઓએ દાહોદ તાલુકાના દશલા ગામે રહેતાં લલીબેન કાળુભાઈ નિનામાના ડુંગરપુર ગામે નિનામા ફળિયામાં આવેલ ખેતર તરફ જ્યારે લલીબેન તથા તેમના પરિવાજનો ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ત્યાં આવી બેફામ ગાળો બોલી, તમો છોકરીઓનો હક્ક નથી, તમો બહેનો આ જમીન ખેડવાનું બંધ કરો, તેમ કહેતાં લલીબેને કહેલ કે, અમો અમારા પિતાએ આફેલ ભાગની જમીન ખેડીએ છીએ, અમો અમારા ભાઈની જમીન ખેડતા નથી, તેમ કહેતા ઉપરોક્ત પાંચેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડી વડે લલીબેન, રાકેશભાઈ સીરકાભાઈ નિનામા અને ભીમાભાઈ વાલચંદભાઈ નિનામાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લલીબેન કાળુભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!