
રાજેશ વસાવે :- દાહોદ
જમ્મુ-કાશ્મીરમાં 27 ટુરિસ્ટોની હત્યા | દેશભરમાં રોષ | દાહોદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ..
જમ્મુ કાશ્મીરમાં 27 નિર્દોષ ટુરિસ્ટોની હત્યા.!!””દાહોદમાં પાકિસ્તાનનો પુતળા દહન..!
દાહોદ તા. 23
જમ્મુ કશ્મીરમાં આતંકવાદી હુમલામાં પામેલા લોકોની આત્માને શાંતિ મળે તેમજ આતંકવાદનો જડમૂળથી સફાયો થાય તે માટે દાહોદના વલ્લભ ચોકમાં મીણબત્તી સળગાવી અશ્રુ પૂરીત શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સાથે સાથે શહેરના લઘુમતી વિસ્તાર કહેવાતા કસ્બા પટની ચોકમાં સાંજની નમાજ બાદ આતંકવાદીઓના પૂતળા દહન કરવામાં આવ્યા હતા. તેમજ મરણ પામેલા હુંતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એટલું જ નહીં પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમા ગઈકાલે થયેલા આતંકવાદી હુમલામાં 27 જેટલા સહેલાણીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. જેના પગલે સમગ્ર દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. અને સમગ્ર ભારતવાસીઓની એક જ માંગ ઉઠી રહી છે કે દોષી તો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આતંકવાદીઓને શરણ આપનાર તત્વો સામે પ્રસંડ વાર કરવો જોઈએ.સમગ્ર દેશભરમાં મરણ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા 27 લોકોને શ્રદ્ધાંજલિ તેમજ દોષીતો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.શહેરના વલ્લભચોક વિસ્તારમાં તેમજ કસબાના પટણી ચોક ખાતે પણ શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લઘુમતી વિસ્તારના લોકોએ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.
આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતું. આતંકવાદનો કોઈ મજહબ નથી હોતું. આતંકવાદ એ આતંકવાદ જ છે. પર્યટકોની નિરમા હત્યા કરનાર આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબી કાર્યવાહી કરવામાં આવે તેવી એકસૂરમાં માંગ ઉઠવા પામી છે.