Thursday, 19/09/2024
Dark Mode

ટુ વ્હીલરના ગોલ્ડન, સિલ્વર નંબરોની જૂની સિરીઝ GJ20BJ તેમજ ફોર વ્હીલરની નવી સિરીઝ GJ20CB નું રી – ઓક્શન શરૂ*

September 18, 2024
        933
ટુ વ્હીલરના ગોલ્ડન, સિલ્વર નંબરોની જૂની સિરીઝ GJ20BJ તેમજ ફોર વ્હીલરની નવી સિરીઝ GJ20CB નું રી – ઓક્શન શરૂ*

રાજેશ વસાવે :- દાહોદ 

*ટુ વ્હીલરના ગોલ્ડન, સિલ્વર નંબરોની જૂની સિરીઝ GJ20BJ તેમજ ફોર વ્હીલરની નવી સિરીઝ GJ20CB નું રી – ઓક્શન શરૂ*

દાહોદ તા. ૧૮ 

 સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, દાહોદ દ્વારા વ્હીલરના ગોલ્ડન, સિલ્વર નંબરોની જૂની સિરીઝ GJ20BJ તેમજ ફોર વ્હીલરની નવી સિરીઝ GJ20CB નું રી – ઓક્શન શરૂ કરવામાં આવશે. જેમાં તારીખ ૨૪-૦૯-૨૦૨૪ થી તારીખ ૨૬-૦૯-૨૦૨૪ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે તેમજ તારીખ ૨૬-૦૯-૨૦૨૪ થી તારીખ ૨૮-૦૯-૨૦૨૪ સુધી ઈ – ઓક્શન કરી શકાશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fancy પર નોંધણી કરવાની રહેશે. 

 

પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(process flow સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહીં.

 

નોંધ : આ ૬૦ દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

 

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહી. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા અત્રેની કચેરી દ્વવારા પરત કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દાહોદ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!