સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રસ્તો તૂટી પડતા વાહન વ્યવહાર બંધ થયો…

Editor Dahod Live
2 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રસ્તો તૂટી પડતા વાહન વ્યવહાર બંધ થયો…

સંતરામપુર તા. ૯

 સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામે નદીમાં પૂર આવવાના કારણે બનાવેલો આરસીસી રસ્તો ડીપ વરસાદના કારણે અને પૂર આવવાના કારણથી આખો જ રસ્તો ધોવાઈ ગયા અને મોટા મોટા ગામડાઓ અને પોપડા ઉકડી ગયા હતા ગામડા પડી જવાથી રસ્તાની અંદરના ભાગે રસ્તો બનાવવા માટે કપચીના બદલે નદીની ગ્રેવલ નો ઉપયોગ કરેલો જોવા મળી આવેલો છે જેના કારણે તૂટી ગયેલો જોવા મળી આવેલો છે આના કારણે મોટાભાગના અવરજવર કરતા વાહન ચાલકો અને રાહત દરિયો એ ભારે મુશ્કેલી અને હાલાકી ભોગવવાનો વારો આવેલો છે આ જ રસ્તા ઉપર થી એક થી આઠ મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે અહીંયા થી મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પસાર થતા હોય છે પણ આવી પરિસ્થિતિના કારણે બે કિલોમીટર વધારે અંતર કાપીને જવું પડતું પડતું હોય છે તેવી પરિસ્થિતિઓ સર્જાયેલી છે ગરાડીયા વાગ્યા ખોટ નર્સિંગપુર ત્રણ ગામો અને મોટાભાગના બાયપાસના વાહન ચાલકો ઇંધણ નો બચાવ થાય અને ઓછું અંતર કાપવું પડે તેના માટે સૌથી વધારે નર્સિંગ પુનો રસ્તો પસંદ કરતા હોય છે પરંતુ વરસાદના કારણે તૂટી જવાના કારણે હવે આ રસ્તો વાહનો જવા માટે સંપૂર્ણ બંધ થઈ ગયેલો છે વહેલી તરીકે આ રસ્તાની મરામત કરવામાં આવે અને રાબેતા મુજબ રસ્તો શરૂ થાય તેવી લોક માંગ ઉભી થયેલી છે..

Share This Article