વસાવે રાજેશ દાહોદ
દાહોદ શહેરમાં પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શ્રી વિશ્વકર્માચ મંદિર, દાહોદ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના ૫૦ વર્ષ પુર્ણ થતાં તે નિમિત્તે સુવર્ણ જયંતિમ મહોત્વનું આયોજન કરવામાં આવયૂ
દાહોદ તા. ૨૯
દાહોદ શહેરમાં પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા શ્રી વિશ્વકર્માચ મંદિર, દાહોદ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના ૫૦ વર્ષ પુર્ણ થતાં તે નિમિત્તે સુવર્ણ જયંતિમ મહોત્વનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આજે તારીખ ૨૭મી મેના રોજ હવન પુજા પ્રારંભ થયો હતો ત્યાર બાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
શ્રી વિશ્વકર્મા મંદિર દાહોદ નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પંચાલ નવયુવક મંડળ, દાહોદના ૫૦ વર્ષ પૂર્ણતા નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા.૨૬.૦૫.૨૦૨૩ને શુક્રવાર ના રોજ પંચાલ નવયુવક મંડળ, દાહોદ ના ૫૦ વર્ષ નિમિત્તે સ્વપ્ન સિદ્ધિ અંકનુ વિમોચન સમય રાત્રીના ૮.૦૦ કલાકે, ભજન સંધ્યા (વેશ ભૂસા સહિત) કલાકાર દ્વારકા મંત્રી- દેવાસ વાળા સમય રાત્રીના ૯.૦૦ કલાકે, કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તા.૨૭.૦૫.૨૦૨૩ને શનિવારના રોજ હવન પૂજા પ્રારંભ સમય સવાર ના ૮.૦૦ કલાકે, મૂર્તિઓની શોભાયાત્રા સમય સાંજના ૪.૧૫ કલાકે, બેન્ટ વાજા ની સંગીતમય સુરાવલી સાથે સોભાયાત્રા રાસ ગરબાની રમઝટ સાથે આકર્ષણ ની ઝાંખી સાથે વેશ ભુસા નાના ભૂલકાં ની ઝાંખી આકર્ષણ મય જાેવા મળી હતી સોભાતાત્રા પરત નિજ મંદિર આવી હતી તથા રાત્રી ના આઠ વાગ્યે સંગીત મય આંદનો ગરબો તેમજ રાશ ગરબા (આનંદ નો ગરબો શ્રી વિશ્વકર્મા પંચાલ મહિલા મંડળ, દાહોદ દ્વારા) સમય રાત્રીના ૯.૦૦ કલાકે ઉજવવામાં આવ્યો હતો તમામ કાર્યક્રમ યજ્ઞશાળા સ્થળ શ્રી વિશ્વકર્મા મંદિર પંચાલ સમાજની વાડી, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભોજનશાળા સ્થળ રામાનંદ પાર્ક, એમ.જી.વી.સી.એલ. બ્રિજ પાસે, દાહોદ ખાતે રાખવામાં આવેલ છે.
—————————–