સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે ગોચરની જમીનમાંથી દબાણ દૂર કરવા માટે કલેકટરને રજૂઆત કરાઈ

Editor Dahod Live
1 Min Read

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.14

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે ગોચરની જમીનમાંથી દબાણ દૂર કરવા માટે કલેકટરને રજૂઆત કરાઈ

સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે લીલવાસર ફળિયામાં રહેતા પરમાર ધનજીભાઈ વરસીંગભાઇ ૨૧૭ સર્વે નંબરમાં ગૌચર જમીન નું દબાણ કરી મૂક્યું છે.દબાણ દૂર કરવા માટે મહિસાગર જિલ્લાના કલેકટરશ્રી ને લેખિતમાં રજૂઆત કરી હતી.આ જમીનમાં ગેરકાયદેસર રીતે ખેડાણ કરી ને ખેતી પણ કરે છે દબાણ કરવાથી રસ્તામાંથી જવું અને પસાર થવું ભારે મુશ્કેલી પડી રહી છે અહીંયા થી પસાર થતી વખતે સાધન સામગ્રી લઇ જવાતી નથી દબાણ કરવાથી મુશ્કેલી વધી રહેલી છે ગૌચરની જમીનમાંથી દમણ દૂર કરવામાં આવી તે માટે પરમાર ધનાભાઈ ઍ કલેકટરને રજૂઆત કરી હતી પરમાર ધનાભાઈ એ 23 12 સુધીમાં મારી અરજી નો રજૂઆત સાંભળવા નહીં આવે અને નિકાલ નહી કરવામાં આવે તો 24 તારીખના રોજ હું તાલુકો પંચાયત સંતરામપુરમાં વિકાસ અધિકારી ઓફિસ આગળ આત્મવિલોપનની ચીમકી આપી છે.

Share This Article