સંતરામપુર નગરમાં આરોગ્યતંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસ ના સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. સંતરામપુર નગરમાં આરોગ્યતંત્ર દ્વારા સંતરામપુર નગરના અલગ-અલગ વિસ્તારમાં દરેક ઘેર-ઘેર જઈને આરોગ્ય કર્મચારીઓ એ અલગ અલગ ટીમ બનાવીને 11 કર્મચારીઓ દરેક વિસ્તારમાં ફરીને દરેક વ્યક્તિને ઘરદીઠ આરોગ્ય કર્મચારીએ કોરોના વાયરસ વિશે સાવચેતી જાળવવા અને તેના લક્ષણો વિશે જાણકારી આપવામાં આવી હતી અને દરેકને ઘરે કયા લક્ષણો જણાઈ રહ્યા છીએ તેના વિશે માહિતી પૂછવામાં આવી હતી કોરોના વાઈરસના લઇને રાજ્ય સરકાર દ્વારા સતત કામગીરી હાથ ધરી હતી અને સ્વયમને અને અન્યાયને બચાવો સરકાર દ્વારા જાહેરાત કરીને આ વાયરસથી બચવા માટે જનજાગૃતિ ની આરોગ્ય ખાતા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી સંતરામપુરના અલગ-અલગ વિસ્તારમાં બે થી ત્રણ વ્યક્તિઓ જોડે રહીને દરેક ઘરે જઈને આ વાયરસ વિશે સમજૂતી અને લક્ષણો વિશે જાણકારી આપવામાં આવેલી હતી સંતરામપુરના પ્રતાપપુરા વિસ્તાર ગોધરા ભાગોળ ટાવર રોડ વિસ્તારોમાં આરોગ્ય ખાતાના કર્મચારીની કામગીરી હાથ ધરી હતી.