Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદમાં ચૂંટણી અધિકારીની મંજૂરી વિના વાહનોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહી

November 9, 2022
        959
દાહોદમાં ચૂંટણી અધિકારીની મંજૂરી વિના વાહનોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહી

 રાજેશ વસાવે :- દાહોદ 

 દાહોદમાં ચૂંટણી અધિકારીની પરવાનગી વિના વાહનોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાશે નહી

દાહોદ, તા. ૯ :

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે જિલ્લામાં કલમ ૧૪૪ મુજબ આદેશ કર્યા છે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.
તદ્દનુસાર કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇ પણ વ્યક્તિ દ્વારા કોઇ પણ ઉમેદવારનાં ચૂંટણીના કામે વાહનોનો સબંધિત વિધાનસભા મતદાર વિભાગમાં કે સમગ્ર દાહોદ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો સબંધિત ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે રજીસ્ટર કરાવવાના રહેશે અને રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.
આ પરમીટમાં વાહન વિધાનસભા મતદાર વિભાગના કયા વિસ્તારમાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સપષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇ પણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી. આ જાહેરનામું દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૦-૧૨-૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!