ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સ્વેચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે જડબેસલાક લોકડાઉન
કોરોના સંક્રમણને નાથવા સ્વેચ્છિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા નિર્ણય લેવામાં આવેલ હતો.
ફતેપુરા તા.03
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે કોરોના સંક્રમણને નાથવા માટે તારીખ 3 એપ્રિલ થી તારીખ 8 એપ્રિલ 2021 સુધી સ્વેચ્છિક લોકડાઉન માટે બલૈયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધંધા રોજગાર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણયના ભાગરૂપે આજે પ્રથમ દિવસે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહ્યા હતા.ત્યારબાદ ગ્રામજનો દ્વારા ધંધા રોજગાર બંધ કરી સ્વેચ્છિક રીતે તે લોકડાઉનનો અમલ કર્યો હતો.લોકડાઉનનો અમલ થતાં બજારોમાં સન્નાટો જોવા મળતા હતા