ફતેપુરાના આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું,નિરાકરણ ન થાય તો આંદોલનના મૂડમાં કર્મીઓ 

 સુખસર તા.29

ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ના છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જલત આંદોલનો કરવા ના હોવાનો આવેદન શુક્રવારના રોજ ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારીને આપવામાં આવ્યું હતું

   ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગમાં પંચાયત સેવાના કર્મચારીઓ ફરજ બજાવે છે જેઓને છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી તેઓના ૧૩ જેટલા પ્રશ્નો બાબતે અગાઉ રજૂઆતો કરી હતી જેનો હજુ સુધી નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓની આંદોલનના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું અને શુક્રવારના રોજ ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મીઓએ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું જમા જણાવ્યું હતું કે ૧૩ જેટલા પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી રાજ્ય મહાસંઘ ગાંધીનગર ની સૂચનાથી આવનારા સમયમાં કર્મચારીઓ જલત આંદોલન કરશે તેઓ તાલુકા આરોગ્ય સંઘના પ્રમુખ ભરતભાઈ કટારા એ જણાવ્યું હતું.

Share This Article