સંતરામપુર નગરમાં લોકડાઉન દરમિયાન આંધ્ર પ્રદેશનો પરિવાર સંતરામપુરમાં ફસાયો
સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં આંધ્ર પ્રદેશનો પરિવાર તાંબા પિત્તળના જૂના વાસણો બનાવનાર રીપેરીંગ કરવા માટે ગુજરાતમાં સંતરામપુર તાલુકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતરામપુરમાં આવેલા હતા.આ પરિવાર લોકડાઉન દરમિયાન ધંધો રોજગારીના ચાલતા અને પોતાના વતનમાં જવા માટે સરકાર પાસે અને સરકારી તંત્ર પાસે પર જવાની માગણી કરી રહ્યા છે.આ પરિવાર લોકડાઉનના સમયમાં તીન પ્રતિદિન કફોડી હાલત બનતી જાય છે. અલગ-અલગ જિલ્લામાં કુલ ૨૨ જેટલા આંધ્ર પ્રદેશ નો પરિવાર લોકડાઉનમાં ફસાતા ભારે વિકટ પરિસ્થિતિમાં સમય પસાર કરી રહેલા છે.આંધ્રપ્રદેશના પરિવારની માગણી છે કે તેમના વતનમાં પરત જવા માટે વ્યવસ્થા કરવામાં આવી તેવી રજૂઆત છે ધંધા રોજગારના ચાલવાથી ખાવા-પીવાનો પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે તેમનો પરિવાર આંધ્ર પ્રદેશમાં ડર અને ભયના માહોલમાં રોજિંદા તેમના વતનમાં જવા માટે સંપર્કમાં રહેતા હોય છે.