Friday, 26/04/2024
Dark Mode

દે.બારીયાના ભૂલર ગામના જંગલમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

દે.બારીયાના ભૂલર ગામના જંગલમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

 મઝહરઅલી મકરાણી @ દે.બારીયા.

દાહોદ તા.22

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના અંતેલા ગામના પ્રેમી પંખીડા એ ભૂલર ગામના જંગલમાં ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા તાલુકાના અંતેલા ગામના પ્રેમી પંખીડા એકબીજા સાથે જીવનમરણના કોલ આપી બૈઠા હતા.જોકે પારિવારિક અને સામાજિક બંધનો તેમના પ્રેમમાં નડતરરૂપ બનતા એકબીજાને સાથ જીવવા મારવાના કોલ આપી બેસેલા પ્રેમીપંખીડાએ હતાશ થઇ આ ફાની દુનિયાને અલવિદા કહી એકમેક થવાના નિર્ધાર સાથે ગતરોજ ભૂલર ગામના જંગલમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી..ત્યારે આજરોજ સવારે બન્ને પ્રેમીપંખીડાની લાશ વહેલી સવારે જંગલમાં મહુડા ના ફુલ વીણવા ગયેલા લોકો ને ટીમરવા ના ઝાડ પર લટકતી જોવા મળતા લોકોએ આ બનાવની જાણ આસપાસના ગ્રામજનો તેમજ પોલિસને કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આજે જનતા કર્ફ્યુનો દિવસ હોવા છતાં પણ લોકોના લોકટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.પોલીસે ઉપરોક્ત બન્ને પ્રેમીપંખીડાની લાશને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ કરવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાર્યવાહીમાં જોતરાઈ ગયા હતા.

error: Content is protected !!