Saturday, 27/07/2024
Dark Mode

સીંગવડ:સરજુમીના આસપાસ જંગલોમાંથી કિંમતી સાગી લાકડાના ઝાડો ચોરાયા:વનવિભાગ આ મામલે અજાણ:પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી

સીંગવડ:સરજુમીના આસપાસ જંગલોમાંથી કિંમતી સાગી લાકડાના ઝાડો ચોરાયા:વનવિભાગ આ મામલે અજાણ:પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી

 કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.19

સિંગવડ તાલુકાની કટારાની પલ્લી તથા સરજુમીના આસપાસના જંગલોમાં સાગી લાકડાનો લોકો દ્વારા કાપીને લઈ જવાયા, લાકડાચોરો સાગી લાકડાની વાતથી વનવિભાગ અજાણ, વનવિભાગ દ્વારા ઉછેરેલા ઝાડોનું સરેઆમ નિકંદન કાઢી લાકડા ચોરી લઇ જતા લોકોમાં રોષની લાગણી,

સીંગવડ તા.19

 સિંગવડ તાલુકાની કટારાની પલ્લી થતા સરજુમીના આસપાસના જંગલોમાં ફોરેસ્ટ વિભાગના ઉછેરેલા સાગી ઝાડના લાકડાના કપાતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈપણ એક્શન લેવામાં આવતો નથી જ્યારે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા ગામડાના લોકો જંગલમાંથી ઘરને આટોપવા થતા બાળવા માટે ઝાંખરા લાવતાં હોય છે તો ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા આ જાખરા લાવનારને સજા કરવામાં આવે છે અને તે જાખરા લઈ લેવામાં આવે છે જ્યારે જંગલમાં સાગી લાકડા બારોબાર કપાઇ જતા હોવા છતાં અધિકારીઓની સાગી લાકડાના ઝાડ ઉપર ધ્યાન જતું નથી અને આ નાના-નાના ગામડાન ના માણસો જંગલમાંથી વીણી વીણીને જાખરા ભેગા કરે છે તેમને સજા કરવામાં આવે છે જો આ સાગી લાકડા કપાતા હોય છે તો શું અધિકારીઓને ધ્યાન કે પછી જંગલ ખાતાના અધિકારીઓને ધ્યાનમાં નથી આવતું એ પછી જંગલખાતાના અધિકારીઓ જંગલમાં જતા નથી તેમ લાગે છે રોજ જંગલોમાં સાગી લાકડા કેટલા કપાતા હશે પણ તેના અધિકારીઓ ની કોઈ મીલીભગત હોય તો જ આ સાગી લાકડા કાપવાવાળા પકડા નથી તેમ લાગે છે શું આના માટે વનખાતાના અધિકારીઓ ધ્યાનમાં લેશે ખરા કે પછી જેમ ચાલે છે તે ચાલશે

error: Content is protected !!