દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં ગુરૂ ગોવિંદ ધામ, કંબોઈ, ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસ મંજુરી પત્ર તેમજ ચેક વિતરણ સંમેલન યોજાયો હતો 

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા /દક્ષેશ ચૌહાણ, ઝાલોદ 

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં ગુરૂ ગોવિંદ ધામ, કંબોઈ, ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસ મંજુરી પત્ર તેમજ ચેક વિતરણ સંમેલન યોજાયો હતો 

 

ઝાલોદ તાલુકાના ગુરૂ ગોવિંદ ધામ, કંબોઈ, ખાતે દાહોદ લોકસભા સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ, ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા સાહેબ દ્વારા લાભાર્થીઓને આવાસ મંજુરી પત્ર અને ચેક વિતરણ કરવામાં આવ્યાં 

 

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને 837 આવાસોના મંજુરી પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા 

દાહોદ જિલ્લા લોકસભા સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા અને દાહોદ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા અને ઝાલોદ તાલુકા પંચાયત નાં પ્રમુખશ્રી રમેશભાઈ ભાભોર અને તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રીમતી અનિતાબેન મછાર પાર્ટી પ્રમુખ મુકેશભાઇ પરમાર મહામંત્રી નિસરતા કાળુભાઇ જીલ્લા પંચાયત સભ્યો શ્રી ઓ અને તાલુકા પંચાયતના સભ્યો શ્રી ઓ અને તાલુકા પંચાયતના સરપંચશ્રી ઓ અને પદાધિકારીશ્રીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં 

 

ઉપસ્થિતિ તમામ લાભાર્થીઓને આવાસ યોજનાના ચેક અને મંજુરી પત્ર આપવામાં આવ્યાહતા. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Share This Article