Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના ખૂટનખેડામાં એક પરિવારની એક સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું, તેમજ બીજી ઘરેથી કહ્યા વગર ક્યાંક જતી રહી…

June 6, 2022
        2192
ઝાલોદ તાલુકાના ખૂટનખેડામાં એક પરિવારની એક સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું, તેમજ બીજી ઘરેથી કહ્યા વગર ક્યાંક જતી રહી…

સુમિત વણઝારા

 

ઝાલોદ તાલુકાના ખૂટનખેડામાં એક પરિવારની એક સગીરાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું, તેમજ બીજી ઘરેથી કહ્યા વગર ક્યાંક જતી રહી…

 

દાહોદ તા.૦૬

 

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે એક બે સગીરા પૈકી એક સગીરાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી જ્યારે અન્ય એક સગીરા કોઈને ઘરમાંથી ક્યાં વગર ક્યાંક જતી રહેતાં આ સંબંધે પોલીસમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 ગત તા.૦૫મી જુનના રોજ ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે બંગલા ફળિયામાં રહેતી બે સગીરા (૧) બીનલબેન શકરીયાભાઈ તથા સુનીતાબેન સુરકાભાઈ આ બંન્ને સગીરાઓ પોતાના ઘરે રાત્રીના સમયે અલગ અલગ ખાટલા ઉપર સુતી હતી જેમાંથી બીનલબેને અગમ્યકારણોસર પોતાના ઘરમાં લાકડાના સરા ઉપર પોતાના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે સુનીતાબેન રાત્રીના સમયે કોઈને કંઈપણ કહ્યાં વગર ક્યાંક ચાલી જતાં આ બનાવને પગલે ગ્રામજનોમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે બીનલબેને આત્મહત્યા કયાં કારણોસર કરી અને તેની સાથેની સુનીતાબેન ક્યાં ગુમ થઈ ગઈ હશે? જેવા અનેક સવાલો ગ્રામજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે ત્યારે ઘટના સ્થળે આવી પહોંચેલ પોલીસે મૃતક બીનલબેનને મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવમાં આવ્યો છે ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુમ થયેલ સુનીતાબેનને શોધખોળ પણ આરંભ કરી છે. સુનીતાબેનનો પત્તો લાગે તો ખબર પડે કે બીનલબેને કયાં કારણોસર આત્મહત્યા કરી હશે?

 

 આ સંબંધે ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે બંગલા ફળિયામાં રહેતા સુરકાભાઈ ટીટાભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો તેમજ ગુમસુદાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!