રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયા ગામે મહુડી ના ઝાડ નીચે ૬૦ વર્ષીય આધેડ દ્વારા અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું .
ગરબાડા તાલુકાના પાટીયા ગામે સવાર ના સમયે દાદુર ગામના પરમાર ફળિયામાં રહેતા ૬૦ વર્ષીય માનસિંગભાઈ દિતાભાઈ પરમાર ની પાટિયા ગામે આવેલ ખેતરમાં મહુડીના ઝાડ નીચે લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી. માનસિંહભાઈ સવારના ૫ વાગ્યાના સમયે ઘરે ના મળતા પરિવારજનો દ્વારા તેમના પાટીયા ગામના ખેતર તપાસ કરતા માનસિંગ ભાઈ ખેતરમાં મહુડી ના ઝાડ નીચે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ગરબાડા પોલીસને આ બાબતને જાણ કરાતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી અને પોસ્ટમ અર્થે નવા ફળિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી જોકે માનસિંગભાઈ દ્વારા શા માટે આ રીતનું પગલું ભરવામાં આવ્યું છે બાબત તપાસનો વિષય બની છે.
ગરબાડા પોલીસ દ્વારા ઘટના સંદર્ભે અકસ્માતે મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.