ફતેપુરા:-શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરામાં અગ્રસેન જયંતિ નિમિત્તે અગ્રવાલ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી.
ફતેપુરા નગરના અગ્રવાલ સમાજ દ્વારાઅગ્રસેન મહારાજ નો જન્મોત્સવ આજે ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતોઅગ્રસેન મહારાજ અગ્રવાલ સમાજના પિતામહ ગણાય છે, અગ્રસેન મહારાજ ભગવાન રામની ચોત્રીસમી પેઢીના સૂર્યવંશી ક્ષત્રિય રાજા મહારાજા વલ્લભસેનના સહુ થી મોટા પુત્ર હતા, મહારાજા અગ્રસેનના જમાનામાં રામ રાજ્ય ચાલતું હતું અગ્રસેન મહારાજ ભારત દેશમાં મોટાં પાયે વ્યાપાર કરતી અગ્રવાલ સમાજના કુળપિતા છે.મહારાજ અગ્રસેને અગ્રોહા ધામની સ્થાપના કરી હતી ત્યાં તેમણે તેમના કુળદેવી લક્ષ્મી માતાનું ખૂબજ સુંદર મંદિર બનાવેલ છે જે અગ્રવાલ સમાજ માટે શક્તિપીઠ ગણાય છે.

આજે સોમવારના દિવસે અગ્રવાલ સમાજના વડીલો બાળકો બહેનો વિગેરે ભેગા મળી બહેનો દ્વારા પ્રાથઁના કરવામાં આવી હતી ત્યાર બાદ સમાજના અગ્રસેન મહારાજના રથને ડી જેના તાલે ફટાકડા ફોડી સમગ્ર ફતેપુરા નગરના વિવિધ માર્ગો પર ફરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને એમાં સમાજના દરેક નાના મોટા ભાઈઓ બહેનો બાળકો જોડાયા હતા અગ્રવાલ સમાજ એ પોતાના વેપાર ધંધા બંધ રાખી અગ્રસેન ત્યોહારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી મહાનુભાવો એ મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના વડીલો બહેનો અને બાળકોએ પ્રસાદ લઈ વિસર્જન કર્યું હતું