Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરા નગરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી..

April 10, 2022
        467
ફતેપુરા નગરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી..

શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા

 

ફતેપુરા નગરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી..

 

શ્રી રામ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવેલ હતું

 

શોભાયાત્રા દરમિયાન લોકોએ સ્વેચ્છિક રોજગાર ધંધા બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા…

 

ફતેપુરા તા.10

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ રામનવમી જન્મ જયંતિ નિમિત્તે ભારે હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી નગરમાં આવેલ રામજી મંદિર ને ફૂલહારથી તેમજ ગુબ્બારા ઓથી ઓથી સુશોભિત કરવામાં આવેલ છે શ્રીરામ જન્મ જયંતી નિમિત્તે રામજી ના મંદિરમાં આરતી રાખવામાં આવેલ હતી તેમજ હવન કરવામાં આવ્યું હતું સમગ્ર નગરને કેસરી રંગ ના તોરણ અને ધજા થી શણગારવામાં આવેલ હતું સમગ્ર ફતેપુરા નગર કેસરી રંગ અને રામમય બની ગયો છું ફટાકડા ની રમઝટ ડીજેના તાલે ઢોલ નગારા સાથે સુશોભિત રથમાં શ્રીરામને બિરાજમાન કરી રામજી મંદિરેથી નીકળેલી શોભાયાત્રા સમગ્ર ફતેપુરા નગરમાં ફરી ને રામજી મંદિર આગળ આગળ સમાપ્ત થયેલ હતી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી શોભાયાત્રા દરમિયાન નગરજનો પોતાના કામધંધા બંધ રાખ્યા હતા અને શોભાયાત્રા જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!