Monday, 30/06/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે ના મોત.

June 26, 2022
        541
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે ના મોત.

સુમિત વણઝારા

 

 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં બે ના મોત.

 

દાહોદ તા.૨૬

 

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતને બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા નગરમાંથી પસાર થતાં હાઈવે પર બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૪મી જુનના રોજ એક તુફાન ફોન વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ જયેશભાઈ બાબુભાઈ સંગાડા (રહે. શાષ્ઠા, ચારેલ ફળિયુ, તા. લીમખેડા, જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં જયેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહાંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે શાષ્ટા ગામે ચારેલ ફળિયામાં રહેતાં બાબુભાઈ શાંતિલાલ સંગાડાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ સીંગવડ તાલુકાના પીસોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૫મી જુનના રોજ સીંગવડ તાલુકાના છાપરવડ ગામે સનાત ફળિયામાં રહેતાં મનોજભાઈ તથા દિનેશભાઈ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ સીંગવડ મુકામે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં એક ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મનોજભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં મનોજભાઈ અને દિનેશભાઈ બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે દિનેશભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મનોજભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે છાપરવડ ગામે સનાત ફળિયામાં રહેતાં ચંન્દ્રસિંહ સોનાભાઈ પટેલે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!